બોટાદમાં SP સ્વામીની કાર પર અજાણ્યા ઇસમોનો હુમલો

PC: news18.com

બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 20 વર્ષથી જે સત્તા સ્થાન પર હતા તે આચાર્ય પક્ષના SP સ્વામી, તેમની સાથે રહેલા એક સંત અને એક ડ્રાઈવર ઈનોવા કારમાં મંદિરથી બોટાદ તરફ જતા હતા. જેવી SP સ્વામીની ઈનોવા કાર મંદિરની બહાર નીકળી એવા બે બાઈક ચાલકોએ પોતાની બાઈક SP સ્વામીની કારની નજીક લાવીને કાર પર લોખંડના સળીયા વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં કારની આગળનો અને પાછળનો કાચ તૂટી ગયો હતો. કાર પર હુમલો થવાના કારણે SP સ્વામીના ડ્રાઈવરે કારને પૂરપાટ ઝડપે ચલાવીને ગઢડા પોલીસ સ્ટેશનમાં પહોંચાડી હતી.

પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી SP સ્વામીએ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ આચાર્ય પક્ષના અન્ય સંતોને થતા તેઓ પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે SP સ્વામીની ફરિયાદના આધારે હુમલાખોરીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં SP સ્વામીને કે તેમની સાથે કારમાં બેઠેલા સંતને કોઈપણ પ્રકારની ઈજાઓ થવા પામી નથી, પરંતુ આ ઘટનાને પગલે SP સ્વામીના સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી છે.

આ સમગ્ર મામલે કારના ડ્રાઈવરે પોલીસેને જણાવ્યું હતું કે, બે વ્યક્તિઓએ બાઈક લઇને અમારી કારનો પીછો કર્યો હતો. એ દરમિયાન તેમણે કારનો રોકવાનો પ્રયાસ કર્યો હતો. મેં કાર ન રોકતા બાઈક પર પાછળ બેઠેલા વ્યક્તિએ કારની પાછળનો કાચ તોડી નાંખ્યો હતો અને પછી તેમણે કારને ઊભી રાખવા માટે રાડો પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp