સુશાંત મામલે મિલાપ ઝવેરીએ KRKનો અસલી ચહેરો દેખાડ્યો, વાયરલ થયો આ Video

PC: bollywoodbubble.com

મરજાવા અને સત્યમેવ જયતે જેવી ફિલ્મોના ડાયરેક્ટર મિલાપ ઝવેરીએ અમુક વીડિયો ક્લિપ શેર કરતા સેલ્ફ ક્લેઇમ ક્રિટિક કમાલ રાશિદ ખાન(KRK) પર નિસાનો સાધ્યો છે. મિલાપે એક વીડિયો શેર કર્યો છે જેમાં KRKની બે વીડિયો ક્લિપ છે. પહેલી ક્લિપ ત્યારની છે, જ્યારે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ રીલિઝ થઇ હતી અને KRKએ તેનો રિવ્યૂ આપીને સુશાંતના કામની ખોટી વાત કરી હતી. જ્યારે બીજી ક્લિપ ત્યારની છે જ્યારે સુશાંતના મોત પછી KRKએ તેને ટ્રિબ્યૂટ આપતા વીડિયો શેર કર્યો હતો.

પહેલા વીડિયોમાં KRK કહી રહ્યો છે કે, મારા ખ્યાલથી સુશાંત સિંહ રાજપૂતને અભિનય આવડતો જ નથી અને એકતા કપૂર પર ફાઇન થવો જોઇએ જેણે તેને એક્ટર બનાવ્યો છે. સાજિદ નાડિયાડવાલા જેવા લોકો પર પણ ફાઇન લાગનો જોઈએ, જેઓ તેને 8 કરોડ રૂપિયા આપે છે. ત્યાર પછી એ વીડિયો આવે છે, જેને KRKએ સુશાંત સિંહના નિધન પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

આ વીડિયોમાં KRK કહે છે, હવે જ્યાં સુધી દુનિયા રહેશે, તેને યાદ કરવામાં આવશે. જ્યાં સુધી બોલિવુડ રહેશે આ સવાલ પૂછવામાં આવ્યા કરશે કે એક યુવકે 34 વર્ષની ઉંમરમાં આત્મહત્યા શા માટે કરી લીધી હતી, જ્યારે તે સફળ હતો. સુશાંત હું આજે ખૂબ દુઃખી છું અને તને મિસ કરી રહ્યો છું. આ વીડિયોને શેર કરતા મિલાપ ઝવેરીએ લખ્યું કે, આ ફરજી અને ઘટિયા KRKનો અસલી ચહેરો છે. આજે તે પોતાના ખોટા આંસૂ દ્વારા નફો કમાવવાની કોશિશ કરી રહ્યો છે.

સજા આપવાની જરૂરત

તેણે લખ્યું, હકીકત તો એ છે કે સુશાંત જ્યારે જીવિત રહેતા KRK તેના માટે ભયાનક ભાવના રાખતો હતો. KRK એક એવો વ્યક્તિ છે જો પોતાના નકલી વર્તનથી તેનું અનાદર કરી રહ્યો છે. આવા લોકોને રોકવાની જરૂર છે. મિલાપ ઝવેરીની આ ટ્વીટને રીટ્વીટ કરતા નિર્દેશક હંસલ મહેતાએ લખ્યું, મિલાપ KRK નામના આ પરજીવીને સજા આપવાની જરૂરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp