એવી માન્યતા છે કે ગુજરાતની આ બેઠક પર જે ઉમેદવાર જીતે તેની કેન્દ્રમાં સરકાર બને

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે વલસાડ બેઠક પરથી કે સી પટેલની ટિકિટ કાપીને ધવલ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસે અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડ બેઠક માટે એવી માન્યતા છે કે જે પાર્ટીનો ઉમેદવાર અહીંથી જીતે તેની કેન્દ્રમાં સરકાર બને.

1957થી વલસાડ લોકસભા બેઠક બની હતી. આ બેઠક પર એક જમાનામાં કોંગ્રેસનો કબ્જો હતો, ભાજપ 5 વખત જીત્યું હતું. 1957થી 1971 સુધી કોંગ્રેસના નાનુભાઇ પટેલ જીતેલા અને 1977માં તેઓ ભારતીય લોકદળની ટિકિટ પર લડેલા

ભાજપ 1996, 1998,1999 અને 2014, 2019માં ભાજપ જીત્યું હતું. વલસાડમાં કુલ 18.55 લાખ મતદારો છે અને તેમાં સૌથી વધારે મતદારો ધોડિયા પટેલ સમાજના છે.જ્યારે કુકણા સમાજના 3.02 લાખ લોકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp