રાહુલ ગાંધી અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઇરાની સામે કેમ ચૂંટણી નથી લડવાના?

PC: indiatoday.in

જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ઉત્તર પ્રદેશની 2 મહત્ત્વની બેઠકો અમેઠી અને રાયબરેલી પર આખરે કોંગ્રેસે ઉમેદવારાનો નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક અમેઠી પર રાહુલ ગાંધી ભાજપના સ્મૃતિ ઇરાની સામે ચૂંટણી લડવાના નથી. કોંગ્રેસે અમેઠી બેઠક પરથી કિશોરીલાલ શર્માને ટિકિટ આપી છે. જ્યારે રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસે રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી 4 લોકસભા જીતેલા છે. ભાજપે દિનેશ પ્રતાપસિંહને ટિકિટ આપેલી છે.

ભાજપ નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીથી ડરીને અમેઠી બેઠક છોડી દીધી છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધી અત્યારે નેશનલ ચહેરો છે. જો તેઓ અમેઠીથી ચૂંટણી લડતે તો તેમણે અમેઠી પર તેમણે ફોકસ કરવું પડતે આખા દેશમાં પ્રચાર નહીં કરી શકતે. રાયબરેલી સેફ બેઠક છે એટલે ત્યાં તેમની હાજરીની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp