T20 વર્લ્ડ કપ માટે માંજરેકરે પસંદ કરી પોતાની ભારતીય ટીમ, કોહલી આઉટ, કૃણાલ ઈન

PC: BCCI

આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં કોનો સમાવેશ કરવામાં આવશે, તેને લઈને અત્યારે તો ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. પ્લેયરો પણ IPLમા ધમાકેદાર પ્રદર્શન કરીને પોતાની વર્લ્ડ કપની ટિકિટ ફાઈનલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ફેન્સ તો પોતાનો મત આપી જ રહ્યા છે કે, વર્લ્ડ કપ માટે કયા ખેલાડીને સ્થાન મળવું જોઈએ અને કયા ખેલાડીને સ્થાન ન મળવું જોઈએ, પરંતુ આમાં પૂર્વ ક્રિકેટરો પણ બાકાત નથી.

પૂર્વ ક્રિકેટરો પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી રહ્યા છે, જેમાં તેઓ કયા ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળવું જોઈએ, તે અંગે જણાવે છે. આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં માંજરેકરે હાર્દિક પંડ્યાને ટીમમાં સ્થાન નથી આપ્યું, જ્યારે રિંકુ સિંહ, શિવમ દૂબે અને વિરાટ કોહલીને પણ ટીમમાં સ્થાન નથી આપ્યું.

માંજરેકરે હાર્દિક પંડ્યાની જગ્યાએ હર્ષિત રાણાને સ્થાન આપ્યું છે, જ્યારે ઈશાન કિશનને બહાર રાખીને રિષભ પંત અને સંજુ સેમસનનો સમાવેશ કર્યો છે.

સંજય માંજરેકરે T20 વર્લ્ડ કપ માટે પસંદ કરેલી 15 ખેલાડીઓની ટીમ...

રોહિત શર્મા

યશસ્વી જૈસવાલ

સૂર્યકુમાર યાદવ

રિષભ પંત

સંજુ સેમસન

કેએલ રાહુલ

રવિન્દ્ર જાડેજા

કૃણાલ પંડ્યા

હર્ષિત રાણા

યુઝવેન્દ્ર ચહલ

કુલદીપ યાદવ

જસપ્રીત બૂમરાહ

આવેશ ખાન

મયંક યાદવ

મોહમ્મદ સિરાજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp