INDvsWI: ઇજાગ્રસ્ત ભુવનેશ્વર કુમારની જગ્યાએ સૈની નહીં આ ખેલાડીનો થયો સમાવેશ

PC: twitter.com/ICC

15 ડિસેમ્બરથી વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ શરૂ થનારી વન-ડે સીરિઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગતા ભુવનેશ્વર કુમાર ઇજાને કારણે ટીમમાંથી બહાર થઇ ગયો હતો. ભુવનેશ્વર કુમાર ઇન્જર્ડ થતા તેની જગ્યાએ નવદીપ સૈનીને જગ્યા આપવામાં આવી છે, તેવી વાતો સામે આવી હતી, પરંતુ BCCIએ ભુવનેશ્વર કુમારની જગ્યાએ શર્દૂલ ઠાકુરને ટીમમાં જગ્યા આપી છે.

આ પહેલા શિખર ધવન પણ ઇજાને કારણે ટીમની બહાર છે, તેની જગ્યાએ મયંક અગ્રવાલને તક આપવામાં આવી હતી. શર્દૂલ ઠાકુરના કરિયરની વાત કરીએ તો તેણે ભારતીય ટીમ તરફથી પાંચ વન-ડે મેચ રમી છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ ઓગસ્ટ મહિનામાં ભુવનેશ્વર કુમારને ઇજાને કારણે ટીમથી બહાર હતો. હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ T20 સીરિઝમાં તેણે ફરી વાપસી કરી હતી, પરંતુ ફરીએકવાર તે ઇજાગ્રસ્ત થઇ ગયો છે.

જસપ્રીત બૂમરાહ પહેલેથી જ ઇજાને કારણે ટીમની બહાર છે, ત્યારે ભુવીની ઇજાથી ભારતીય ટીમ ચિંતિત જરૂર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp