કાર અકસ્માતમાં હૉકીના 4 રાષ્ટ્રીય ખેલાડીઓના મોત, 3 ગંભીર
હોશંગાબાદમાં સોમવાર સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યાં એક પુરાપાટે ઝડપથી આવતી કાર અનિયંત્રિત થઈ જતા ઝાડ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળ પર જ 4 રાષ્ટ્રીય સ્તરના હૉકી પ્લેયર્સનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ ખેલાડીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ખેલાડી ધ્યાનચંદ હોકી ટૂર્નામેન્ટ રમવા આવ્યા હતા અને હોશંગાબાદથી ઈટારસી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.
રિપોર્ટ અનુસાર, જે સમયે આ દુર્ઘટના સર્જાય ત્યારે કારમાં કુલ 7 પ્લેયર્સ બેઠા હતા. ઝાડ સાથે અથડાયા પછી કાર અનિયંત્રિત થતા પલટી મારી ગઈ હતી અને રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. દુર્ઘટના એટલી ભીષણ હતી કે ઘટના સ્થળે જ ચાર ખેલાડીઓનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ખેલાડીઓની હાલત ગંભીર હોવાથી સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક ખેલાડીઓના નામ શાહનવાઝ ખાન, આદર્શ હરદુઆ, આશીષ લાલા અને અનિકેત છે.
Madhya Pradesh: Four national level hockey players dead, three injured, in a car accident in Hoshangabad pic.twitter.com/otLiRNQzoQ
— ANI (@ANI) October 14, 2019
દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ CM કમલનાથે પણ શોક વ્યક્ત કર્યો હતો. ટ્વીટમાં તેમણે લખ્યું, હોશંગાબાદમાં હોકી ટૂર્નામેન્ટમાં સામેલ થવા જઈ રહેલા હોકી ખેલાડીઓના વાહનનો રૈસલપુર ગામ નજીક અકસ્માત સર્જાવવાની દુર્ઘટના બની છે. દુર્ઘટનામાં મૃતક ખેલાડીઓના પરિવાર પ્રતિ મારી શોક સંવેદનાઓ.
होशंगाबाद में हॉकी टूर्नामेंट में शामिल होने जा रहे हॉकी खिलाड़ियों के वाहन की रैसलपुर गाँव के पास दुर्घटना होने की ख़बर बेहद दुखद।
— Office Of Kamal Nath (@OfficeOfKNath) October 14, 2019
दुर्घटना में मृत खिलाड़ियों के परिवारों के प्रति मेरी शोक संवेदनाएँ।
1/2
घायलों के शीघ्र स्वस्थ होने की ईश्वर से कामना।
— Office Of Kamal Nath (@OfficeOfKNath) October 14, 2019
घायलों का समुचित इलाज कराने के व पीड़ित परिवारों की हर संभव मदद करने के निर्देश।
2/2
તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, રૈસલપુર, હોશંગાબાદમાં ધ્યાનચંદ્ર ટ્રોફી રમાવવા જઈ રહેલા હોકી ખેલાડી શાહનવાઝ ખાન, આદર્શ હરદુઆ, આશીષ લાલા અને અનિકેતના માર્ગ અકસ્માતમાં મોતના દુઃખદ સમાચાર મળ્યા છે.
रैसलपुर, होशंगाबाद में ध्यानचंद्र ट्राफी में खेलने जा रहे हॉकी खिलाड़ी शाहनवाज खान,आदर्श हरदुआ,आशीष लाल व अनिकेत की सड़क दुर्घटना में मौत का दुःखद समाचार मिला। ईश्वर से प्रार्थना है कि वे दिवंगत आत्माओं को शांति, परिजनों को यह दुःख सहने की शक्ति दें व घायलों को शीघ्र स्वस्थ करें।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 14, 2019
ભગવાનથી પ્રાર્થના છે કે તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp