રાજકોટના 75 વર્ષના કોરોના દર્દી કે જેને સાજા થઇ ગયા હોવા છતા ઘરે જવુ નથી ગમતું

PC: khabarchhe.com

કોરોના જેવી મહામારીમાંથી સાજા થઇ ગયાનો આનંદ ચોક્કસ છે પરંતુ હવે ઘરે જવુ નથી ગમતું, અને જો મને પરવાનગી આપવામાં આવે તો મારે અહીં અન્ય દર્દીઓની સારવારમાં મારાથી બનતી સેવા આપવી છે. આ 13 દિવસમાં અહીં જે સારવાર આપવામાં આવી છે એ માટે હું સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો આભાર માનુ છું. કોરોનાનો મને ભય હતો અને ભગવાન અને ડૉક્ટર પર મારો ભરોસો પણ હતો તેમાં બા બા કરતો અહીનો સ્ટાફ જાણે મારો પરીવાર બની ગયો છે.” આ શબ્દો છે વિમળાબેન હર્ષદભાઇ કાનાબારના , તેમને તથા તેમના પુત્ર કૌશલભાઇને કોરોના પોઝીટીવ આવતા 13 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ વિમળાબેન ને તો ડાયાબીટીસ, હાઇપર ટેન્શન અને બ્લડ પ્રેશરની કાયમી તકલીફ પણ ખરી અને ઉંમર પણ 75 જેવી તેને રીકવરી આવવી અને તે પણ આટલી ઝડપથી તે માટે રાજકોટ સીવીલ હોસ્પિટલના તબીબો દ્વારા થયેલ ચમત્કાર જ તેઓ ગણાવે છે.

ડો. આરતી ત્રીવેદીના માર્ગદર્શન હેઠળની આજ ફરજ પરની ડૉક્ટર્સની ટીમે આજે વિમળાબેનને હોસ્પિટલમાંથી અપાયેલ રજાને યાદગાર બનાવી દીધી હતી ફરજ પરનાં ડૉકટર્સ સર્વશ્રી પ્રફુલ દુધરેજીયા, હિરલ મકવાણા, તપન પારેખ, એક્તા આરતીવાણી, યોગેશ કટારીયા, ઉજ્જવલ યાદવ, સચીન કંદાકોર અને ચંદ્રજીત સોલંકીની ટીમે આઇસોલેશન વોર્ડ્ની બહાર બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇ ને વિદાય આપતાં વાતાવરણ ભાવુક બની ગયું હતું. માહિતી ખાતા સાથે વાત કરતા તેમણે આ ડૉક્ટર્સની ટીમને પોતાનો પરિવાર ગણાવ્યો હતો અને ઉમેર્યુ હતુ કે સરકારી હોસ્પિટલ માટેનો મારો ખ્યાલ બદલાઇ ગયો છે. નાની મોટી કોઇપણ તકલીફ માટે આખી જિંદગી પ્રાઇવેટ હોસ્પિટલમાં દોડી જતાં પણ આવા ડૉક્ટર્સ અને આટલી સુવિધાઓ તો કોઇ મોટી હોસ્પિટલમાં પણ ના મળે વિદેશમાં પણ આવી સરકારી હોસ્પિટલ નહીં હોય.

વિમળાબેનના પુત્ર કૌશલભાઇ પણ સાથે જ સારા અને ફીટ થઇ ગયા હોય બન્ને ને સાથે જ રજા આપવામાં આવી હતી તેમણે માહિતી ખાતાના પ્રતિનિધી સાથે વાત કરતા જણાવ્યુ હતું કે અહીં વિશ્વની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. અહીંની ચોખ્ખાઇ અને સ્ટાફ્ની ડીસીપ્લીન સરાહનીય છે. સ્વીપર થી લઇ ને ડૉકટર સુધીના તમામ પોતાની ફરજ ખુબજ શ્રેષ્ઠ રીતે બજાવે છે આ માટે તેમણે સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેઓને તેમની ઇચ્છા મુજબ તેમના પરીવારના બે સભ્યો હર્ષદભાઇ તથા અભીગ્નાબેન કે જેઓ રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ ત્રીમંદીર ખાતે ક્વોરોન્ટાઇન કરવામાં આવેલ છે ત્યાં જવાની વાત કરતાં સરકારી એમ્બ્યુલન્સમાં રાજકોટ મહાનગરપાલીકાના નાયબ આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ચુનારા અને આરોગ્ય અધિકારી ડૉ. નિશીતા સૌમૈયાના વડપણ હેઠળ ત્યાં પહોચાડવામાં આવેલ જ્યાં તેઓને પણ અલાયદો રુમ ફાળવી આપવામાં આવેલ. તેમનો પરીવાર લાંબા સમય પછી મળેલ હોઇ સહુ કોઇએ આનંદની લાગણી પ્રગટ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp