કરીના કપૂર ખાને શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહને લઈને કમેન્ટ કરી છે. કરીના કપૂરે કબીર સિંહ ફિલ્મમાં અભિનેત્રી કિયારા અડવાણીના પાત્ર પ્રીતિની ટીકા કરી છે. અને ચોખ્ખું કહ્યું છે કે, આ રીતના પાત્રોમાં મને વિશ્વાસ નથી. એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં કરીનાએ ફિલ્મ કબીર સિંહ અને પ્રીતિના પાત્રને લઈને આ વાત કહી હતી. હાલમાં જ કરીના ડાંસ ટેલિવિઝન શો ડાંસ ઈન્ડિયા ડાંસને જજ કરતી જોવા મળી હતી.
કરીનાએ કહ્યું, પ્રીતિ જેવા પાત્રોમાં મને વિશ્વાસ નથી. જોકે, મેં ફિલ્મ નથી જોઈ. ફિલ્મથી કોઈ ફર્ક નથી આવ્યો. અને ફિલ્મે 300 કરોડ રૂપિયાની કમાણી પણ કરી છે. હું પોતે આવી નથી. માટે હું આ રીતના પાત્રમાં વિશ્વાસ નથી રાખતી.
કરીના કપૂરની આવનારી ફિલ્મોની વાત કરીએ તો અભિનેત્રી અક્ષય કુમાર, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી જોડે ગુડ ન્યૂઝ ફિલ્મમાં જોવા મળશે. તે ઉપરાંત કરીનાએ ઈરફાન ખાન જોડેની ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં કામ કર્યું છે. જેમાં તે એક પોલીસ ઓફીસરનું પાત્ર ભજવી રહી છે. તો વળી, કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ તે કામ કરી રહી છે. જેમાં કરીના ઉપરાંત રણવીર સિંહ, વીકી કૌશલ, ભૂમિ પેડનેકર, જાહન્વી કપૂર પણ જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.