ફેને પૂછ્યું-અજય દેવગણ લાઇફમાં ન હોત તો શાહરૂખ સાથે લગ્ન કરત, જાણો કાજોલનો જવાબ

PC: rediff.com

બોલિવુડના કિંગ શાહરૂખ ખાન અને પોતાના બબલી અંદાજ માટે ફેમસ એક્ટ્રેસ કાજોલની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. આ જોડીએ એકસાથે ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘બાઝીગર’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકોના દિલ જીત્યા છે. 90ના દાયકાની આ હિટ જોડીને લોકો આજે પણ ઓનસ્ક્રીન એકસાથે જોવા ઈચ્છે છે.

હાલમાં જ કાજોલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફેન્સની સાથે સવાલ-જવાબના સેશનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન એક ફેને પૂછ્યું હતું કે, જો તે પોતના જીવનમાં અજય દેવગનને ના મળી હોત, તો શું તે શાહરૂખ ખાન સાથે લગ્ન કરી લેતે?

કાજોલે આ સવાલનો જવાબ તેના ફેનને સામો સવાલ કરીને આપ્યો હતો. કાજોલે આ પ્રશ્નના ઉત્તરમાં લખ્યું, શું વ્યક્તિએ પ્રપોઝ ના કરવું જોઈએ?

જણાવી દઈએ કે, કાજોલ ટૂંક સમયમાં જ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’માં દેખાશે. લાંબા સમય બાદ તે પતિ અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. આ મુવી આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp