તું કોઇની સાથે ભાગી કેમ નથી જતી, તારૂં મોઢું જોઉ છું તો દિવસ ખરાબ જાય છે

PC: thriveglobal.com

લગ્ન બાદ યુવતી પિયરના તમામ લોકોને છોડીને સાસરીયામાં જાય છે અને સાસરીયાના દરેક લોકોને પોતાના બનાવવાના પ્રયાસ કરે છે. પરંતુ ક્યારેક દહેજના લાલચુ સાસરીયાઓના કારણે પરિણીતાની જીદંગી બરબાદ થઇ ગઈ હોવાના કિસ્સાઓ સામે આવે છે. સાસરીયાઓ દહેજ માટે ત્રાસ આપતા હોવાના કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી જાય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં એક પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યા છે કે, પતિ તેને કહે છે કે, રોજ સવારે ઉઠું ત્યારે તારું મોઢું જોઉં છું ત્યારે આખો દિવસ બગડે છે. તું કોઈને લઇને ભાગી કેમ નથી જતી? પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધીને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં હાથીજણ વિસ્તારમાં પતિ અને સાસરીયાની સાથે પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ 2009માં થયા હતા. હાલ તેને લગ્ન જીવનમાં એક 11 વર્ષનો પુત્ર છે. પતિ લીફ્ટ એસેસરીઝનું કામ કરે છે. પરિણીતાએ સાસરીયાઓ સામે આક્ષેપ કર્યા છે કે, લગ્નના થોડા સમય સુધી તમામ લોકોએ બરાબર વર્તન કર્યું હતું. ત્યારબાદ સાસરીયાઓએ પોતાનો રંગ ધીમે-ધીમે દેખાડવાનો શરૂ કર્યો. જેઠ-જેઠાની અને સાસુ-સસરા કોઈને કોઈને વાતે ધમકાવતા હતા. આ ઉપરાંત તું અમારા ઘરમાં સારી લાગતી નથી તેવું પણ કેહતા હતા. એટલું જ નહીં સાસરીયાઓ પરિણીતા પર ઘરમાં રહેલા ડોક્યુમેન્ટ અને દસ્તાવેજની ચોરી આરોપ પણ લગાવતા હતા.

લગ્નના થોડા વર્ષો પછી પરિણીતા પ્રત્યે પતિને પણ નફરત થવા લાગી. પતિ પરિણીતાને કહેતો હતો કે, રોજ સવારે ઉઠું ત્યારે તારું મોઢું જોવ છું ત્યારે આખો દિવસ બગડે છે. તું કોઈને લઇને ભાગી કેમ નથી જતી? પતિ અને સાસરીયાના આ પ્રકારના ત્રાસથી કંટાળીને પરિણીતા આ વાત તેના પિયરમાં કરે તો પણ પતિ ઘરની વાત બહાર કેમ થાય છે તેવું કહીને માર મારતો હતો અને ઝઘડાઓ કરતો હતો. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા ધંધાની વાતને લઇને સસરા અને પતિને ઝઘડો થયું હતો. આ ઝઘડાને પતિ અલગ રહેવા ચાલ્યો ગયો હતો. ત્યારબાદ થોડા દિવસો પછી સમાધાન થતા તેઓ ફરીથી પરિવારની સાથે રહેવા ચાલ્યા આવ્યા હતા.

સાસરીયામાં રહેવા આવ્યા પછી પતિ પરિણીતાને કહેવા લાગ્યો કે, તું મને ગમતી નથી તારા પિયરમાં જતી કેમ નથી રહેતી. ત્યારબાદ પતિનો ત્રાસ વધતો હોવાના કારણે પરિણીતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp