શિવાનંદ ઝા 22 વર્ષે IPS થયાઃ 37 વર્ષ ગુજરાત પોલીસમાં ફરજ બજાવીઃ અનેક લોકો નારાજ

PC: deshgujarat.com

તા 4 એપ્રિલ 1960માં જન્મેલા અને મુળ બિહારના વતની શિવાનંદ ઝાએ 22 વર્ષની ઉમંરે યુનિયન પબ્લીક સર્વીસ કમિશનની પરિક્ષા પાસ કરી અને 1983માં ઈન્ડીયન પોલીસ સર્વિસ જોઈન કરી ગુજરાત કેડરના અધિકારી બન્યા. પંચમહાલ સહિત અનેક જિલ્લામાં પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી. અમદાવાદમાં એડીશનલ પોલીસ કમિશનર અને પોલીસ કમિશનર પણ રહ્યા. આ ઉપરાંત સુરત રેન્જ અને સુરત પોલીસ કમિશનર તરીકે પણ કાર્ય કરી ચુકયા છે.શિવાનંદ ઝા સામે નારાજ પોલીસ અધિકારીઓની યાદી જોવામાં આવે તો તેમના વિરોધીઓની યાદી બહુ લાંબી છે. પરંતુ ખરેખર પોલીસ અધિકારી કેવો હોવો જોઈએ તેનું તેઓ ઉત્તમ ઉદાહરણ છે.

અણધારી સ્થિતિ નિર્માણ થાય ત્યારે પોતાના જુનિયરના હવાલે કામગીરી સોંપી બેસી રહેવાનો તેમનો સ્વભાવ નથી.શિવાનંદ ઝાએ ફિલ્ડના ઓફિસર તરીકે ઉત્તમ કામ કર્યુ છે.તેનું સૌથી મોટુ ઉદાહરણ 2002ના કોમી તોફાનો છે.આ કોમી તોફાનો વખતે તેઓ અમદાવાદના એડીશનલ પોલીસ કમિશનર હતા. બીજા આઈપીએસ અધિકારીઓ ઓફિસમાં બેસી સુચનાઓ આપી રહ્યા હતા,પણ શિવાનંદ ઝા પોતાની ટીમ સાથે રાત દિવસ જોયા વગર રસ્તા ઉપર દોડતા રહ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ બે મહત્વની ઘટનાઓ ઘટ.જેમાં તેમના તાબામાં બીજા વિસ્તારની સરખામણીમાં બહુ ઓછા તોફાન થયા અને બહુ ઓછી ખુવારી થઈ.

બીજી બાબત તેમની કડક કામગીરીને કારણે અનેક રાજનેતાઓ નારાજ થયા. જેમાં અમીત શાહનો પણ સમાવેશ થાય છે.જો કે અમીત શાહ નારાજ થતાં તેઓ લાંબો સમય સાઈડ પોસ્ટીંગમાં રહ્યા. પણ કહેવાય છે કે ભાજપના સિનિયર નેતા સુરે્ન્દ્ર પટેલની મધ્યસ્થીને કારણે શિવાનંદ ઝા અને અમીત શાહ વચ્ચે મિટીંગ થઈ. ત્યાર બાદ શિવાનંદ ઝા સુરત રેન્જમાં મુકાયા અને પછી સુરતના પોલીસ કમિશનર પણ થયા. શિવાનંદ ઝાના સાથીઓ માને છે કે તેઓ સુરત મુકાયા પછી તેમની અંદર ઘણો બદલાવ આવ્યો છે. શિવાનંદ ઝા પોતાના સાથીઓ ઉપર પણ ભરોસો કરી શકતા નથી અને સતત શંકાની નજરે જુવે છે તે તેમની નબળી બાજુમાં છે.

અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પણ તેમણે કામ કર્યું. ત્યાર બાદ ગુજરાત ગુપ્તચર સેવાના તેઓ વડા થયા.સામાન્ય રીતે પોલીસમાં ગુપ્તચર સેવા પનીશમેન્ટ પોસ્ટીંગ માને છે પણ શિવાનંદ ઝાના કાળમાં ગુજરાત ગુપ્તચર સેવાનું પ્રોફેશનલિઝ્મ થયુ.ગુપ્તચર સેવામાં અગાઉ માત્ર પોલીસમાંથી ભરતી થતી હતી,પણ તેમણે અલગ કેડર બનાવી સીધી ભરતી કરી. ગુપ્તચર સેવાને એક નવી ઓળખ આપી. 2018માં તેઓ ગુજરાતના ડીજીપી બન્યા,જો કે ડીજીપી થયા બાદ તેઓ કયાં વિવાદમાં ફસાય નહીં તેની તેમણે ખુબ તકેદારી રાખી. તેમના અનેક નિર્ણયોથી રાજયના એસપી અને સિનિયરો નારાજ પણ થયા. હાલમાં કોરાનીની જે સ્થિતિ નિર્માણ થઈ તેમાં પોલીસને સીધી કોઈ કામગીરી નથી, પણ તેમણે કોરોના સામેની લડાઈમાં ગુજરાત પોલીસને કુનેહપુર્વક સામેલ કરી લોકોને બચાવવાની મહત્વની કામગીરી શરૂ કરી છે.હાલમાં તેઓ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના સીધા સંપર્કમાં છે.

તા 4 એપ્રીલના રોજ તેમણે ગુજરાત પોલીસમાં 37 વર્ષ પુરા કર્યા છે. તેઓ 30એપ્રિલના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થશે. પણ શિવાનંદ ઝાને નજીકથી ઓળખનારા દાવો કરી રહ્યા છે કે તેઓ તેમના સંબંધનો ઉપયોગ કરી હાલના સંજોગોને ધ્યાનમાં લેતા વધુ થોડા મહિના એકસટેન્શન મેળવી લેશે. માની લો કે એક્ટેસન્શન ના મળે તોપણ ગુજરાત સરકારમાં તેઓ કોઈ મહત્વના પદ ઉપર નિયુકત થશે.

(પ્રશાંત દયાળ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp