શાહરૂખે કરાવ્યા એસિડ એટેક સર્વાઈવરના લગ્ન, શેર કર્યો આ ખાસ ફોટો

PC: pinimg.com

બોલિવુડના કિંગ ખાન તરીકે ઓળખાતો શાહરૂખ ખાન પોતાના સેવાભાવી કામોને લીધે અવારનવાર ચર્ચામાં આવતો રહે છે. આપણામાંથી બહુ ઓછાં લોકોને ખબર હશે કે, શાહરૂખ ખાન એસિડ એટેક પીડિતાઓ માટે એક ફાઉન્ડેશન ચલાવે છે, જેમાં તે મહિલાઓની સારવારની સાથો સાથે તેમને નવું જીવન શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

હાલમાં જ શાહરૂખના આ ફાઉન્ડેશમાં આવેલી એક પીડિતાના લગ્ન થયા છે અને આ લગ્નથી કિંગ ખાન ખૂબ જ ખુશ છે. શાહરૂખે આ લગ્નના ફોટાઓ શેર કરતા તેને શુભકામનાઓ પાઠવી છે.

શાહરૂખ ખાને મીર ફાઉન્ડેશનના એક ટ્વિટને રીટ્વિટ કરીને તેને શુભકામનાઓ પાઠવી છે. શાહરૂખ ખાને લખ્યું છે, અનુપમાને મારો પ્રેમ અને ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની નવી શરૂઆત તમારા જીવનને રોશની અને ખુશીઓથી ભરી દે. જગદીપ તું ખરા અર્થમાં એક પુરુષ છે... પ્રાર્થના કરું છું કે તમે બંને સાથે મળીને પોતાની આ ખુશીઓને બમણી કરી દેશો.

શાહરૂખ ખાનના આ પોસ્ટ પર ફેન્સના પણ રિએક્શન્સ સામે આવી રહ્યા છે. જેમાં ફેન્સ શાહરૂખ ખાનને તેના આ ફાઉન્ડેશન બદલ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે, મીર ફાઉન્ડેશન એસિડ એટેક પીડિતાઓની મદદ કરે છે. તેમના સારવારનો ખર્ચ ઉઠાવવાથી તેમને ફરીથી પોતાનું જીવન જીવવા માટે પ્રેરિત કરે છે અને તેને માટે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp