હૃદયના વાલ્વની બીમારી છતા 50 વર્ષીય ઝાકિરાબીબીએ 24 દિવસે કોરોનાને હરાવ્યો

PC: Khabarchhe.com

શહેરમાં કોરોનાની લહેર સામે જંગ જારી છે. મોટી સંખ્યામાં કોમોર્બિડ અને વડીલ દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે. હૃદયના વાલ્વની બીમારી ધરાવતા નાનપુરા વિસ્તારના 50 વર્ષીય ઝાકિરાબીબી મહંમદ શેખે પૂરતાં આત્મવિશ્વાસ સાથે કોરોના સામે વિજય મેળવ્યો છે. હદયના વાલની બીમારીથી પીડિત ઝાકીરાબીબીબેન સ્મીમેર હોસ્પિટલમાં 24 દિવસની સારવાર લઈ કોરોનામુક્ત થઈને ઘરે પરત ફર્યા ત્યારે તેમનો પરિવાર ખુશખુશાલ બન્યો હતો.

સ્મીમેર હોસ્પિટલમાં સારવાર મેળવી સ્વસ્થ થયેલા ઝાકિરાબીબી શેખ જણાવે છે કે, ‘તા.18 એપ્રિલના રોજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા RTPCR ટેસ્ટ કરાવ્યો. જે પોઝિટીવ આવ્યા બાદ તા.20નાં રોજ પરિવારના સભ્યો દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મને 15 લિટર ઓક્સિજન માસ્ક પર રાખવામાં આવી હતી. મને સાત વર્ષથી હૃદયના વાલ્વની બીમારી છે. શરૂઆતમાં કોરોનાના ડરને કારણે મારી તબિયત વધુ બગડતાં તા.23 એપ્રિલે મને બાપપેપ પર રાખવામાં આવી હતી, ત્યારે તબીબોએ મને સમજાવી કે ધીરજ અને આત્મવિશ્વાસ રાખો, અમે તમારા જેવા કેટલાય દર્દીઓને સ્વસ્થ કર્યા છે.તમને કોરોના છે જ નહિ એવી કલ્પના કરો, બાકીનું અમારા પર છોડી દો.' તબીબોની પ્રેરણાથી 'હું સ્વસ્થ થઈશ જ' એવી આશા ઉભી થઈ હતી.

પૂરતી સારવાર અને નિયમિત મોનિટરીંગથી શ્વાસ લેવામાં ઘણી રાહત મળી હતી, ત્યારબાદની આપવામાં આવેલી સારવારથી તબિયતમાં ઘણો સુધાર થયો. તા.7 મેએ 4 લિટર ઓક્સિજન માસ્ક સાથે તબિયત સારી હોવાથી સુરત મહાનગરપાલિકાના ગવર્નમેન્ટ ક્વોટાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી, જ્યાં મને નોર્મલ રૂમમાં રાખી 13 મેના રોજ રજા આપવામાં આવી. મારા સ્વસ્થ થવા પાછળ સ્મીમેર હોસ્પિટલનાં તબીબો અને અન્ય સ્ટાફની મહેનત છે. હું એમની આભારી અને કૃતજ્ઞ છું, કારણ કે તેમની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર, યોગ્ય સંભાળથી હું કોરોના મહામારી સામે હૃદયની બીમારી છતાં જીતી છું.’

સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડો.જનક રાઠોડ, ડો.વંદના, ડો.રિયા, ડો.જયમિન, ડો.શ્રેયા, ડો.નિરવ, ડો.ઐશ્વર્યા, ડો.ચેતના, ડો.પુનમ, ડો.શ્રેયા અને ટીમ દ્વારા જહેમતભરી યોગ્ય સારવાર કરવામાં આવી. જેથી તેઓ કોમોર્બિડ હોવા છતાં કોરોનામુક્ત થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp