રાહુલ ગાંધી સુરત કોર્ટમાં, આગામી સુનાવણી 10 ડિસેમ્બરે થશે પણ...
મોદી અટકને લઇને ટીપ્પણી કરવાના કેસમાં કોંગ્રેસના પૂર્વઅધ્યક્ષ રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા છે. લોકસભાની ચૂંટણી સમયે કર્ણાટકમાં એક સભા સંબોધતા રાહુલ ગાંધીએ ટીપ્પણી કરી હતી કે, બધા ચોર લોકોની અટક મોદી કેમ હોય છે. રાહુલ ગાંધીના આ નીવેદનના કારણે સમસ્ત મોઢ મોદી સમાજ દ્વારા સુરતનો કોર્ટમાં માનહાનીની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ બી. એચ. કાપડીયાએ મે 2019માં સમન્સ જારી કર્યું હતું. ભારતીય ફોજધારાની 499 અને 500ની કલમ હેઠળ આ કેસ નોંધાયો હતો. જૂલાઈમાં થયેલી સુનાવણીમાં કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા મામલે મુક્તિ આપી હતી. રાહુલ ગાંધીના કેસની આગામી સુનાવણી 10 ડિસેમ્બરના રોજ થશે, પરંતુ તેમાં રાહુલ ગાંધી હાજર નહીં રહે તો ચાલશે.
Gujarat: Congress leader Rahul Gandhi arrives in Surat. He will appear before Surat Court today in connection with a case over his comment "Why do all thieves have Modi in their names". pic.twitter.com/0rF6FYqtSw
— ANI (@ANI) October 10, 2019
આજે જયારે કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ સુરત આવ્યા તે પહેલા કોંગ્રેસ દ્વારા અલગ અલગ પાંચ જગ્યા પર રાહુલ ગાંધીનું સ્વગાત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી કોર્ટમાં આવવાના કારણે સુરતની કોર્ટ બહાર પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Shaktisinh Gohil, Congress on defamation case against Rahul Gandhi: In a democracy, party in power should tolerate criticism of opposition.Rahul ji had said Lalit Modi&Nirav Modi are thieves,& Narendra Modi is a failure.BJP connected his statement to Modi community&insulted them. pic.twitter.com/v9ujRyUhi2
— ANI (@ANI) October 10, 2019
રાહુલ ગાંધીના કોર્ટમાં આવ્યા પહેલા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સંપૂર્ણ ગેર માર્ગે દોરીને માત્રને માત્ર ખોટી વાતો કરવા ટેવાયેલી ભાજપનું નેતા મંડળ અને ભાજપની આ પ્રવૃત્તિ છે. રાહુલ ગાંધીની આખી સ્પીચ સાંભળવામાં આવે, તો નીરવ મોદીને કહેવામાં આવે, લલિત મોદીને કહેવામાં આવે તો શું આ સભ્યો છે. એ લોકોએ ચોરી કરી છે અને લૂંટ કરીને દેશની બહાર ગયા છે અને આમના વિશે કઈ કહેવાય તો તેને આખા સમાજ સાથે જોડી દેવામાં આવે છે.
હું માનું છું કે, આખા સમાજનું અપમાન કર્યું હોય, તો આ ભારતીય જનતા પાર્ટીએ ખોટી રજૂઆતો કરીને કર્યું છે. આખી સ્પીચ માત્ર ખોટા લોકો અને ચોર લોકોના નામજોગ કહેવામાં આવી છે. ભૂતકાળમાં વર્તમાન ભાજપના વડાપ્રધાન અને ભાજપના નેતાઓએ હલકી કક્ષાની સભ્ય સમાજમાં બોલાય નહીં તેવા શબ્દો બોલીને કોગ્રેસની ટીકા કરી છે. તે સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી પરંતુ કોંગ્રેસે કેસ કરીને કોઈને દબાવવા કે, ડરાવવાનો પ્રયાસ ન હોતો કર્યો. મારે આજે ભાજપના નેતાઓને કહેવું છે કે, આ કોંગ્રેસ પાર્ટી છે અને આ પાર્ટીના નેતાઓ અંગ્રેજોથી પણ નહોતા ડર્યા.
Gujarat: Rahul Gandhi appeared at Surat Court in connection with a case over his comment"Why do all thieves have Modi in their names". He has filed an application for permanent exemption.Court has given a date of 10th Dec for reply to his application. (earlier visuals) pic.twitter.com/otzMu25rKW
— ANI (@ANI) October 10, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp