ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતી 5 બેઠકો પર ભાજપની ચિંતા વધી, નેતાઓને મોકલ્યા
પરષોત્તમ રૂપાલાએ રાજકોટની એક સભામાં 23 માર્ચ 2024ના દિવસે એક નિવેદન કરેલું જેને કારણે ક્ષત્રિય સમાજમાં નારાજગી છે એ વાતને આજે એક મહિનો પુરો થયો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની અનેક વખત માફી માંગી છે, ભાજપે પણ ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત થતો નથી.